Pages

Monday, 18 November 2013

શિક્ષણ વિભાગે નોકરીનો પટારો ખોલ્યોઃ ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે ૬૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરશે


  • શિક્ષણ વિભાગે નોકરીનો પટારો ખોલ્યોઃ ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે ૬૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરશે
  • બે વર્ષમાં ભરતીનો ત્રીજો રાઉન્ડઃ ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટે સૌથી વધુ જગ્યાઓ
  • અમદાવાદ તા.૧૮: ગુજરાતની ઉચ્ચ પ્રાથમિક શાળાઓ માટે શિક્ષણ વિભાગ ૬૦૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરશે. હાલની ૨ લાખ શિક્ષકોની ફોજમાં વધુ ૬૦૦૦ શિક્ષકોને જોડવામાં આવશે. આ માટે પસંદગી અને ભરતીની પ્રક્રિયા સ્પટેમ્બરમાં લેવાયેલી ટેટની પરીક્ષા સાથે જ શરૃ થઇ ગઇ છે. જોકે વિષયોને આખરી ઓપ આપવાનો હજુ બાકી છે. મોટા ભાગની જગ્યાઓ ગણિત અને વિજ્ઞાનના વિદ્યાસહાયકો માટે છે. આ વિષયોના શિક્ષકોની અછતને લીધે ચાલુ શૈક્ષણિક સત્રના શરૃઆતથી જ આ વિષયો શિક્ષણ વિભાગના કેન્દ્રમાં છે.
  • હાલમાં રાજ્યમાં આશરે ૩૩,૯૦૦ પ્રાથમિક શાળાઓ છે. જેમાં ૫૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં શિક્ષકોના પદોની ભરતીનો આ ત્રીજો રાઉન્ડ છે. ગયા વર્ષે ૮,૮૦૦ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી. જેમાં ૩,૦૦૦ પદો ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો માટે હતા.
  • ગયા મહિને શિક્ષણ વિભાગે રાજ્યના તમામ ડીઇઓને તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો પર સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. આ વિષયો માટે નવી જગ્યાઓ ઉભી કરવા માટે આ કસરત કરવામાં આવી હતી.
  • ૨૦૧૨માં શિક્ષણના અધિકાર કાયદાના અમલ સાથે શિક્ષણ વિભાગે સરકારી પ્રાથમિક શાળાઓ માટે નવી હજારો જગ્યાઓ ઉભી કરવાનો નિર્ણય લીધો હતો, ખાસ કરીને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં.

No comments:

Post a Comment